દુર્ઘટના@દિયોદર: સગાઇ બાદ યુવક-યુવતિએ કેનાલમાં ઝંપલાવ્યું, લાશ મળી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદરમાં યુવક-યુવતિએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યુ છે. પંથકમાંથી આજે સવારે યુવક-યુવતિની લાશ મળી આવતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ બંને યુવક-યુવતિની થોડાક સમય અગાઉ જ સગાઇ કરી હતી. જોકે ગઇકાલે સાંજે અગમ્ય
 
દુર્ઘટના@દિયોદર: સગાઇ બાદ યુવક-યુવતિએ કેનાલમાં ઝંપલાવ્યું, લાશ મળી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદરમાં યુવક-યુવતિએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યુ છે. પંથકમાંથી આજે સવારે યુવક-યુવતિની લાશ મળી આવતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ બંને યુવક-યુવતિની થોડાક સમય અગાઉ જ સગાઇ કરી હતી. જોકે ગઇકાલે સાંજે અગમ્ય કારણોસર તેમને કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં યુવક-યુવતિએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. દિયોદરના 24 વર્ષિય ચેતનભાઇ વાલાભાઇ રાવળની સગાઇ ભાભરની આશરે 20 વર્ષિય યુવતિ સાથે થોડાક સમય અગાઉ કરવામાં આવી હતી. જોકે ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ કોઇ કારણસર બંનેએ દિયોદર પંથકમાંથી પસાર થતી ગોદા-ઇસરવા નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. જે બાદ આજે વહેલી સવારે તેમની લાશ મળી આવી હતી.

દુર્ઘટના@દિયોદર: સગાઇ બાદ યુવક-યુવતિએ કેનાલમાં ઝંપલાવ્યું, લાશ મળી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. દિયોદરમાં આત્મહત્યા કરનારો યુવક દિયોદરમાં શાકભાજીની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે યુવતિ મૂળ ભાભર પંથકની હોવાનું મનાઇ રહ્યુ છે. કેનાલમાંથી યુવક-યુવતિની લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિકો સહિત લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.