દુર્ઘટના@ગિરનાર: 2500 પગથિયાંની ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

 
ઘાટન
યુવક સીડીના પગથિયાને બદલે ખરબચડા પથ્થર પરથી ચઢાણ કરી રહ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાંની ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ યુવક ગિરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો હતો ત્યારે આ દુઃખદ દુર્ઘટના બની હતી.

મૃતક યુવક સીડીના પગથિયાનો ઉપયોગ કરવાને બદલે પર્વતના ખરબચડા પથ્થર પરથી ચઢાણ કરી રહ્યો હતો. આ જોખમી પ્રયાસ દરમિયાન, તે અંદાજે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમ તાત્કાલિક ગિરનાર પર્વત પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.