દુર્ઘટના@હારીજ: માર્કેટયાર્ડમાં આગ, વેપારીના ગોડાઉનમાં નુકશાન
અટલ સમાચાર, હારીજ
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે હારીજ માર્કેટયાર્ડમાં મોડીરાત્રે ભયાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં વેપારીના બારદાનના ગોડાઉનમાં ટ્રક વીજવાયર સાથે અથડાતાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ટેન્કરો દ્રારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ સાથે પાટણથી પણ ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યુ હતુ. અચાનક લાગેલી આગથી વેપારીને મોટુ નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના હારીજ માર્કેટયાર્ડમાં ગત મોડીરાત્રે અચાનક આગ લાગી હતી. વેપારીના બારદાનના ગોડાઉનમાં ટ્રક વીજવાયર સાથે અથડાતાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી હાજર લોકોએ ટેન્કરો દ્રારા આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. પાટણથી પણ ફાયર ફાઇટરની ટીમે આવીને મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.