દુર્ઘટના@હિંમતનગર: પરીક્ષા આપવા જતા નડ્યો અકસ્માત, 3ના મોત 1 ગંભીર
અટલ સમાચાર, હિંમતનગર
હિંમતનગરના ચારયુવાનો પરીક્ષા આપવા જતાં દરમ્યાન અકસ્માતનો ભોગ બન્યા છે. ઉદયપુર નજીક સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોતથી ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, તેના મૃતદેહોને કારમાંથી બહાર નીકાળવા જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના યુવકો ગઇકાલે રાત્રે પરીક્ષા આપવા માટે રાજસ્થાન જવા નિકળ્યા હતા. આ દરમ્યાન રાત્રે એક વાગ્યે ઉદયપુર નજીક ટીડી હોસ્પિટલના પાટીયા પાસે તેમની કાર કન્ટેનરમાં ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ચારમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અસરથી ઉદયપુરની એમ બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, હિંમતનગરના માનવ બ્રહ્મભટ્ટ, ધવલ દેસાઇ, નેહ પટેલ અને અન્ય એક યુવક પરીક્ષા આપવા રાજસ્થાન જતા દરમ્યાન ટ્રેલર કાળરૂપ સાબિત થયુ છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તમામ મૃતદેહોની વતનમાં લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે, ત્રણેયની લાશો બહાર નિકાળવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.