દુર્ઘટના@ઇડર: બેફામ કારે બળદગાડાને અડફેટે લેતાં દંપતિ સહિત બળદ ઇજાગ્રસ્ત, ખેડૂતનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડર તાલુકાના ગામે બેફામ ઇકો કારે બળદગાડાને અડફેટે લેતાં ખેડૂત દંપતિ સહિત બળદને ઇજાઓ પહોંચી હતી. ગુરૂવારે સાંજે ખેતરેથી બળદગાડામાં પરત ઘરે જતાં ખેડૂત દંપતિને અકસ્માત નડ્યો છે. જેમાં એક બેફામ ઇકો કારના ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી બળદગાડાને અડફેટે લેતાં પતિ-પત્નિ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ સાથે બળદ પણ ઇજાગ્રસ્ત બન્યો
 
દુર્ઘટના@ઇડર: બેફામ કારે બળદગાડાને અડફેટે લેતાં દંપતિ સહિત બળદ ઇજાગ્રસ્ત, ખેડૂતનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડર તાલુકાના ગામે બેફામ ઇકો કારે બળદગાડાને અડફેટે લેતાં ખેડૂત દંપતિ સહિત બળદને ઇજાઓ પહોંચી હતી. ગુરૂવારે સાંજે ખેતરેથી બળદગાડામાં પરત ઘરે જતાં ખેડૂત દંપતિને અકસ્માત નડ્યો છે. જેમાં એક બેફામ ઇકો કારના ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી બળદગાડાને અડફેટે લેતાં પતિ-પત્નિ ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ સાથે બળદ પણ ઇજાગ્રસ્ત બન્યો હોઇ સ્થાનિકોએ દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ તરફ સારવાર વચ્ચે ખેડૂતનું મોત થતાં તેમના પુત્રએ ઇકો કારના ચાલક સામે જાદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના દાવડ ગામના પ્રતાપજી ઠાકરડાનું અકસ્માતમાં મોત થયુ છે. ગુરૂવારે સાંજે પ્રતાપજી ઠાકરડા એન તેમની પત્નિ ભીખીબેન ઠાકરડા ખેતરેથી બળદગાડામાં પરત ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન દેવાભાઇ ભરવાડના ઘર આગળ બળદગાડાને પાછળથી આવતી ઇકો કારે જોરદાર ટક્કર મારી હતી. જેથી પ્રતાપજી અને ભીખીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં પ્રતાપજીનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દંપતિને અકસ્માત નડ્યા બાદ ખેડૂતનું મોત થતાં પરિજનો શોકમગ્ન બની ગયા છે. ગુરૂવારે સાંજે સર્જાયેલા અકસ્માતમાં બળદને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. ખેડૂત દંપતિને ઇજા પહોંચતાં તેમને દાવડ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદમાં ખેડૂતની હાલત ગંભીર હોઇ હિંમતનગર રીફર કરવામાં આવ્યા બાદ તેમનું મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના પુત્ર ભાવેશભાઇએ કારચાલક સામે જાદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ચાલક સામે આઇપીસી 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.