દુર્ઘટના@કાંકરેજ: વીજળી પડતાં 2 ગામમાં 3 ભેંસોના મોત, ખેડૂતને આભ ફાટ્યું
અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના બે ગામોમાં વીજળી પડતાં ત્રણ ભેંસોના મોતથી ખેડૂત પરિવાર પર આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં બદલવા વચ્ચે આકાશમાંથી વીજળી પડી હતી. આ દરમ્યાન કાંકેરજ તાલુકાના સુદ્રોસણમાં એક અને તેરવાડામાં બે મળી કુલ ત્રણ ભેંસોના મોત થતાં ચકચાર મચી ગઇ છે.
Sep 17, 2020, 11:20 IST
અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)
કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના બે ગામોમાં વીજળી પડતાં ત્રણ ભેંસોના મોતથી ખેડૂત પરિવાર પર આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં બદલવા વચ્ચે આકાશમાંથી વીજળી પડી હતી. આ દરમ્યાન કાંકેરજ તાલુકાના સુદ્રોસણમાં એક અને તેરવાડામાં બે મળી કુલ ત્રણ ભેંસોના મોત થતાં ચકચાર મચી ગઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના સુદ્રોસણ અને તેરવાડામાં ગઇકાલે વીજળી પડી હતી. આ દરમ્યાન સુદ્રોસણના અડેસરા (ઠાકોર) જવાનજી રાજુજીની ભેંસનું મોત થયુ હતુ. આ તરફ તેરવાડાના ઠાકોર ખેતાજી માધુજીની બે ભેંસો પણ વીજળી પડતાં મોતને ભેટી હતી. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ બંને ખેડૂત ગરીબ વર્ગના હોઇ અને ભેંસો ઉપર જ ગુજરાન ચાલતું હોઇ પરિવાર ઉપર આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ બની છે.