દુર્ઘટના@મહેસાણા: મધરાત્રે રીક્ષા પલટી મારી જતાં ઇજાગ્રસ્ત આધેડનું મોત, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકાના ગામ નજીક રીક્ષા પલટી મારી જતાં ચાલકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયુ છે. આજે મધરાત્રે 2 વાગ્યા આસપાસ વડોદરાથી ચાણસ્મા જઇ રહેલાં આધેડનું મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યા છે. વિગતો મુજબ વડોદરાથી માતાજીના દર્શના કરવા ચાણસ્મા તાલુકાના ગામે રીક્ષા લઇને જતાં આધેડને હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં
 
દુર્ઘટના@મહેસાણા: મધરાત્રે રીક્ષા પલટી મારી જતાં ઇજાગ્રસ્ત આધેડનું મોત, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના ગામ નજીક રીક્ષા પલટી મારી જતાં ચાલકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયુ છે. આજે મધરાત્રે 2 વાગ્યા આસપાસ વડોદરાથી ચાણસ્મા જઇ રહેલાં આધેડનું મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યા છે. વિગતો મુજબ વડોદરાથી માતાજીના દર્શના કરવા ચાણસ્મા તાલુકાના ગામે રીક્ષા લઇને જતાં આધેડને હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં ચાલકે કાબૂ ગુમાવતાં રીક્ષા પલટી મારી જતાં આધેડનું સારવાર વચ્ચે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાકાળમાં મહેસાણા જીલ્લામાં વધી રહેલાં અકસ્માતના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. મહેસાણા તાલુકાના અલોડા ગામના પાટીયા પાસે આજે વહેલી રાત્રે 2:30 વાગ્યે અકસ્માતની ઘટના સામે આવી હતી. વિગતો મુજબ મૂળ ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના જયંતિભાઇ ભીખાભાઇ વાઘરી વડોદરાથી બ્રાહ્મણવાડા માતાજીના મંદીરે દર્શનાર્થે આવતાં હતા. આ દરમ્યાન રાત્રે 2:30 વાગ્યાના સુમારે અલોડા પાટીયા પાસે તેમને કાબૂ ગુમાવતાં રીક્ષા પલટી મારી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વડોદરાથી ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે માતાજીના દર્શન માટે આવતાં આધેડનું અકસ્માતમાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે રાત્રે 2:30 વાગ્યે વડોદરાથી મહેસાણા થઇ ચાણસ્મા જતી વખતે અલોડા પાટીયા પાસે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે ચાલકનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.