દુર્ઘટના@પાલનપુર: બેફામ ડમ્પરે 4 શ્રમિકોને કચડ્યાં, 1 વ્યક્તિનું મોત, 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુરમાં મોડીરાત્રે બેફામ બનેલાં ડમ્પરે નિંદ્રાધિન 4 શ્રમિકોને કચડ્યાં હોવાની ઘટના સામે આવી છે. જોકે ગંભીર ઇજાઓને કારણે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જે બાદમાં ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક અસરથી સારવાર અર્થે મોકલાયા હતા. ઘટના બાદ ચાલક ડમ્પર મુકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર
 
દુર્ઘટના@પાલનપુર: બેફામ ડમ્પરે 4 શ્રમિકોને કચડ્યાં, 1 વ્યક્તિનું મોત, 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુરમાં મોડીરાત્રે બેફામ બનેલાં ડમ્પરે નિંદ્રાધિન 4 શ્રમિકોને કચડ્યાં હોવાની ઘટના સામે આવી છે. જોકે ગંભીર ઇજાઓને કારણે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જે બાદમાં ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક અસરથી સારવાર અર્થે મોકલાયા હતા. ઘટના બાદ ચાલક ડમ્પર મુકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે હાલ સ્થાનિકો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ગતરાત્રે ડમ્પરે 4 શ્રમિકોને કચડતાં એકનું મોત થયુ છે. પાલનપુરના માનસરોવર વિસ્તારમાં પથિકાશ્રમની પાછળની ભાગે રાત્રે મજૂરો સુઇ ગયા હતા. જે બાદમાં મોડીરાત્રે બેફામ બનેલાં ડમ્પરે ચારે શ્રમિકોને કચડી દીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ ઇજાગ્રસ્ત ત્રણ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.