દુર્ઘટના@પંજાબ: ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોનાની આફત વચ્ચે પંજાબમા આજે વાયુસેનાનું મિગ-29ના ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. પંજાબના હોશિયારપુર જિલ્લામાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફાઈટર વિમાનના પાયલટ સુરક્ષિત છે. આ સિવાય અન્ય કોઈ જાનહાનિના અહેવાલ
 
દુર્ઘટના@પંજાબ: ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોનાની આફત વચ્ચે પંજાબમા આજે વાયુસેનાનું મિગ-29ના ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. પંજાબના હોશિયારપુર જિલ્લામાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફાઈટર વિમાનના પાયલટ સુરક્ષિત છે. આ સિવાય અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાયુસેનાનું મિગ-29 આજે પંજાબના હોશિયારપુર જિલ્લામાં ક્રેશ થયું છે. આ ફાઈટર વિમાન ખેતરમાં ક્રેશ થયું હોવાથી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે. પાઈલટ વિમાનમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં છે.