દુર્ઘટના@સાંતલપુર: ખેતરમાં કામ વખતે વિજળી પડી, યુવક-યુવતીના મોત
અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પાટણ જિલ્લામાં દુર્ઘટના બની હતી. સાંતલપુર પંથકના ગામના બે વ્યક્તિ ખેતરમાં હતા તે વખતે વિજળી પડતા સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ તરફ જાણ થતાં વારાહી પોલીસે વિગતો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે
Sep 10, 2019, 22:34 IST
અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પાટણ જિલ્લામાં દુર્ઘટના બની હતી. સાંતલપુર પંથકના ગામના બે વ્યક્તિ ખેતરમાં હતા તે વખતે વિજળી પડતા સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ તરફ જાણ થતાં વારાહી પોલીસે વિગતો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે મંગળવારે ચોમાસાની કરવટથી સન્નાટો છવાઈ ગયો હતો. ખેતરે કામ કરવા ગયેલા ઠાકોર જયંતિભાઇ કાનાભાઇ (ઉ.33) અને ઠાકોર હંસાબેન બલરામજી (ઉ.32) ઉપર અચાનક વિજળી પડી હતી. આથી સ્થળ ઉપર જ બંનેનું કરૂણ મોત નિપજયું હતું. દુઃખદ ઘટનાને કારણે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
advertise