દુર્ઘટના@શામળાજી: સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતાં કાર ટ્રક પાછળ ઘુસી ગઇ, ચાલકનું કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી પંથકમાં એક કાર ટ્રક પાછળ ઘુસી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે. ગઇકાલે રાત્રે રતનપુરથી શામળાજી તરફ જઇ રહેલ એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં ગાડી આગળ જતાં અજાણ્યાં ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. જેથી ચાલકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત થયુ
 
દુર્ઘટના@શામળાજી: સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતાં કાર ટ્રક પાછળ ઘુસી ગઇ, ચાલકનું કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી પંથકમાં એક કાર ટ્રક પાછળ ઘુસી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે. ગઇકાલે રાત્રે રતનપુરથી શામળાજી તરફ જઇ રહેલ એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં ગાડી આગળ જતાં અજાણ્યાં ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. જેથી ચાલકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત થયુ હતુ. આ તરફ શામળાજી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજીમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યુ છે. ચાંદખેડા રહેતાં સંદિપભાઇ ભીખાભાઇ પરમાર કન્સલન્ટીંગનો ધંધો કરતાં હોઇ અવાર-નવાર ધંધો પુર્ણ કરી મોડા ઘરે આવતાં હતા. ગઇકાલે તેઓ રતનપુરથી શામળાજી તરફ પોતાની કાર લઇને આવી રહ્યા હતા. આ દરમ્યાન સંદીપભાઇએ કાર પર કાબૂ ગુમાવતાં આગળ જતાં ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. જ્યાં આખા શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી જીલ્લામાં આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટનાનો ઉમેરો થયો છે. ગઇકાલે રાત્રે રતનપુરથી શામળાજી તરફ આવી રહેલ કાર ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક સંદીપભાઇ પરમારનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થળીઇ ગયા છે. આ તરફ શામળાજી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.