દુર્ઘટના@શંખેશ્વર: બેફામ બનેલી ટ્રકે કારને અડફેટે લીધી, પંથકના 2 વેપારીઓના મોત

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર શંખેશ્વર તાલુકાના ગામે બેફામ ટ્રકની ટક્કરે કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત બન્યાં બાદ બંનેના મોત થયા છે. ગઇકાલે સવારે સમી તરફ કાર લઇ જતાં આધેડ અને અન્ય એક વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. જેમાં બંને ઇજાગ્રસ્ત બન્યાં બાદ આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ.
 
દુર્ઘટના@શંખેશ્વર: બેફામ બનેલી ટ્રકે કારને અડફેટે લીધી, પંથકના 2 વેપારીઓના મોત

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર

શંખેશ્વર તાલુકાના ગામે બેફામ ટ્રકની ટક્કરે કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત બન્યાં બાદ બંનેના મોત થયા છે. ગઇકાલે સવારે સમી તરફ કાર લઇ જતાં આધેડ અને અન્ય એક વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. જેમાં બંને ઇજાગ્રસ્ત બન્યાં બાદ આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ. આ તરફ એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હોઇ તેમને વધુ સારવાર અર્થે સમીથી પાટણ ખસેડ્યા બાદ તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પુત્રએ ટ્રક ચાલક સામે શંખેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વર નજીક મોટી ચંદુર ગામ નજીક અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે. ગઇકાલે સવારના સમયે સમીના પ્રજાપતિ ધનાભાઇ ત્રિભોવનદાસ અને પટેલ ડાહ્યાભાઇ ગંગારામદાસ કાર લઇ સમી તરફ આવી રહ્યા હતા. આ દરમ્યાન સામેથી બેફામ સ્પિડે આવતી ટ્રકે કારને ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જે બાદમાં કારમાંથી બંનેને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડતાં ગંભીર ઇજાઓને કારણે ધનાભાઇ પ્રજાપતિનું મોત થયુ હતુ. આ તરફ ડાહ્યાભાઇ પટેલને વધુ સારવાર અર્થે સમીથી પાટણ ખસેડતાં તેમનું પણ મોત થયુ હતુ.

દુર્ઘટના@શંખેશ્વર: બેફામ બનેલી ટ્રકે કારને અડફેટે લીધી, પંથકના 2 વેપારીઓના મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મોટીચંદુર-સમી માર્ગ પર અકસ્માતની ઘટનામાં બંને વેપારીઓના મોત થતાં પરીજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ અકસ્માતમાં કારને પણ મોટું નુકશાન પહોંચ્યુ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે મૃતક ધનાભાઇ પ્રજાપતિના વકીલ પુત્ર રસીકભાઇએ ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. શંખેશ્વર પોલીસે ફરાર ટ્રક ચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.