દુર્ઘટના@સુઈગામ: માર્ગ અકસ્માતમાં રિક્ષાચાલકનુ મોત, ત્રણ બાળકોએ પિતા ગુમાવ્યા

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) સુઇગામ ભાભર નેશનલ હાઇવે પર બપોર દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભરના રૂની પાસે રીક્ષાને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ટ્રેક્ટર ચાલકે ઓવરટેક કરવામાં રિક્ષાચાલકને ભયંકર ટક્કર મારતાં એકનું મોત અને અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે. મૃતક રિક્ષા ચાલકને નાના નાના ત્રણ બાળકો
 
દુર્ઘટના@સુઈગામ: માર્ગ અકસ્માતમાં રિક્ષાચાલકનુ મોત, ત્રણ બાળકોએ પિતા ગુમાવ્યા

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

સુઇગામ ભાભર નેશનલ હાઇવે પર બપોર દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભરના રૂની પાસે રીક્ષાને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ટ્રેક્ટર ચાલકે ઓવરટેક કરવામાં રિક્ષાચાલકને ભયંકર ટક્કર મારતાં એકનું મોત અને અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે. મૃતક રિક્ષા ચાલકને નાના નાના ત્રણ બાળકો હોઇ પિતા ગુમાવ્યા છે.

દુર્ઘટના@સુઈગામ: માર્ગ અકસ્માતમાં રિક્ષાચાલકનુ મોત, ત્રણ બાળકોએ પિતા ગુમાવ્યાબનાસકાંઠા જિલ્લાના ભાભર નજીક હાઈવે પર રિક્ષા ચાલકને અડફેટે લેતાં અફરાતફરી મચી ગઇ હતી. ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા રિક્ષાચાલકને ભયંકર ટક્કર મારી હતી. આથી ઘટનાસ્થળે જ રિક્ષાચાલક લોહીલુહાણ હાલતમાં આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ દરમ્યાન અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હોઇ તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક ઉચોસણ ગામના ઠાકોર શંકરજી ચોથાજીને સંતાનમાં ત્રણ બાળકો છે. માત્ર 28 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી બેસતા ત્રણ બાળકો પ્રત્યે કરૂણા વધી છે. ત્રણેય બાળકો પિતાને ગુમાવી બેસતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અકસ્માતની ઘટનાને પગલે ગુન્હો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.