દુર્ઘટના@વડનગર: પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવમાં માતાએ સંતાન સાથે ઝંપલાવ્યું
અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી માતા-બાળકની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મહિલા શહેરના અર્જુનબારી વિસ્તારની હોવાનું ચર્ચા થઇ રહી છે. બપોરના સમયે તળાવમાંથી બે લાશ મળ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને બહાર નિકાળી આગળની
May 21, 2020, 18:55 IST
અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી માતા-બાળકની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મહિલા શહેરના અર્જુનબારી વિસ્તારની હોવાનું ચર્ચા થઇ રહી છે. બપોરના સમયે તળાવમાંથી બે લાશ મળ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને બહાર નિકાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી આજે બપોરે બે લાશ મળી આવી છે. જેમાં એક મહિલા અને તેના બાળકની લાશ મળી આવી છે. મહિલાએ આત્મહત્યા કરી કે નહિ તે મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં પાલિકાના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હજી સુધી મોતનું કારણ અકબંધ છે.