દુર્ઘટના@વિજાપુર: કારની ટક્કરે બાઇક ફંગોળાયું, ચાલકનું ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, વિજાપુર કોરોના મહામારી વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ટીટોદણ ચોકડી પાસે કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી બાઇકચાલકને હડફેટે લીધો હતો. ઘટનામાં કારની ટક્કરથી બાઇક હવામાં ફંગોળાતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. જેને લઇ મૃતકના પુત્રએ અજાણ્યા કારચાલક સામે વસાઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
 
દુર્ઘટના@વિજાપુર: કારની ટક્કરે બાઇક ફંગોળાયું, ચાલકનું ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, વિજાપુર

કોરોના મહામારી વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ટીટોદણ ચોકડી પાસે કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી બાઇકચાલકને હડફેટે લીધો હતો. ઘટનામાં કારની ટક્કરથી બાઇક હવામાં ફંગોળાતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. જેને લઇ મૃતકના પુત્રએ અજાણ્યા કારચાલક સામે વસાઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વસાઇ પોલીસ સ્ટેશનમાં કાલે માર્ગ અકસ્માતની ફરીયાદ નોંધાઇ છે. જેમાં માણસાના હરણાહોડા ખાતે રહેતાં પરબતજી અને તેમના પુત્ર અજયજી બાઇક લઇ પસાર થતાં હતા. આ દરમ્યાન ટીટોદણ ચોકડી પાસે હોન્ડા કંપનીની અમેજ ગાડી નં. GJ-15-CB-4206ના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતો જેને કારણે ફરીયાદીના પિતાને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત થયુ છે. જેને લઇ અજયજી પરબતજી તખાજી રાઠોડે અજાણ્યા કારચાલક સામે પોલીસ ફરીયાદ કરી છે. સમગ્ર મામલે વસાઇ પોલીસે ઈ.પી.કો કલમ 279,304(અ),337,338 તથા એમ.વી.એક્ટ કલમ 177,184,134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.