દુર્ઘટનાઃ એક જ પરિવારના વહુ, સસરા અને દાદીને કરંટ લાગ્યો, ત્રણેયનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક નવસારીમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોને કરંટ લાગતા મોત નીપજ્યાં છે. વરસાદની ઋતુમાં કરંટ લાગવાનાં અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે. પરિવારની વહુને કરંટ લાગ્યો તો તેને બચાવવા જતા સસરા અને સસરાને બચાવવા જતા દાદી સાસુને કરંટ લાગ્યો હતો. જેથી ત્રણેવનાં મોત નીપજ્યા છે. જેના કારણે પરિવાર સાથે આખા પંથકમાં શોકની લાગણી
 
દુર્ઘટનાઃ એક જ પરિવારના વહુ, સસરા અને દાદીને કરંટ લાગ્યો, ત્રણેયનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

નવસારીમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોને કરંટ લાગતા મોત નીપજ્યાં છે. વરસાદની ઋતુમાં કરંટ લાગવાનાં અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે. પરિવારની વહુને કરંટ લાગ્યો તો તેને બચાવવા જતા સસરા અને સસરાને બચાવવા જતા દાદી સાસુને કરંટ લાગ્યો હતો. જેથી ત્રણેવનાં મોત નીપજ્યા છે. જેના કારણે પરિવાર સાથે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં પટેલ પરિવારમાં આ દુર્ઘટના બની છે. પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે ગયેલા સસરા બચુભાઈને કરંટ લાગ્યો હતો. ત્યારબાદ બંનેને બચાવવા ગયેલા દાદી સાસુ લલીબેન પટેલને પણ કરંટ લાગ્યો હતો. જેથી એકસાથે ત્રણેય જણાને કરંટ લાગતા ત્રણેયના મોત નીપજ્યા છે.