દુર્ઘટના@થરા: લોકડાઉન વચ્ચે યુવાને કરી આત્મહત્યા, કારણ અકબંધ

અટલ સમાચાર, થરા કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે થરા પંથકમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે અગમ્ય કારણોસર યુવાને ઝેરી દવા પી જીવન ટુંકાવ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ જયંતીજી રામાજી ઠાકોર હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં થરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી
 
દુર્ઘટના@થરા: લોકડાઉન વચ્ચે યુવાને કરી આત્મહત્યા, કારણ અકબંધ

અટલ સમાચાર, થરા

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે થરા પંથકમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે અગમ્ય કારણોસર યુવાને ઝેરી દવા પી જીવન ટુંકાવ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ જયંતીજી રામાજી ઠાકોર હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં થરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરા પંથકના ઇન્દ્રમાણા ગામે યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. દિયોદર તાલુકાના નવા ગામના જયંતીજી રમાજી ઠાકોર નામના યુવકના લગ્ન રાણકપુર ગામે થયા હતા. પરંતુ ધંધાર્થે ઇન્દ્રમાણા રહેતા યુવક જયંતીજીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઇ તેને સારવાર અર્થે ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

દુર્ઘટના@થરા: લોકડાઉન વચ્ચે યુવાને કરી આત્મહત્યા, કારણ અકબંધ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એકાદ વર્ષ પહેલા જ યુવકના લગ્ન થયા હતા. જોકે હાલ તેને કયા કારણોસર દવા પીધી તેને લઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાને લઇ યુવાનના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં થરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.