દુર્ઘટના@થરા: રસ્તો ક્રોસ કરતાં રાહદારીને ટ્રકે અડફેટે લીધા, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ કાંકરેજ તાલુકાના ગામે રસ્તો ક્રોસ કરતાં રાહદારીને બેફામ ટ્રકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. ગઇકાલે સાંજના સમયે ગામના પાટીયા પાસેથી રસ્તો ક્રોસ કરી રહેલાં રાહદારીને એક બેફામ સ્પિડે આવતી ટ્રકે ટક્કર મારી હતી. જેમાં તેમને કમરથી નીચેનો ભાગ આખો કચડાઇ ગયો હોઇ ગંભીર ઇજાઓને કારણે રાહદારીનો મોત
 
દુર્ઘટના@થરા: રસ્તો ક્રોસ કરતાં રાહદારીને ટ્રકે અડફેટે લીધા, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ

કાંકરેજ તાલુકાના ગામે રસ્તો ક્રોસ કરતાં રાહદારીને બેફામ ટ્રકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. ગઇકાલે સાંજના સમયે ગામના પાટીયા પાસેથી રસ્તો ક્રોસ કરી રહેલાં રાહદારીને એક બેફામ સ્પિડે આવતી ટ્રકે ટક્કર મારી હતી. જેમાં તેમને કમરથી નીચેનો ભાગ આખો કચડાઇ ગયો હોઇ ગંભીર ઇજાઓને કારણે રાહદારીનો મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના સાળાએ ફરાર ટ્રકચાલક સામે થરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના વડા દોલાણી પાર્ટી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. દેત્રોજના દેકાવાડા ગામના રઘુવીરસિંહ ઉર્ફે ટીકુભા સોલંકી આઠેક દિવસથી પોતાની સાસરીમાં પરિવાર સાથે ગયા હતા. જ્યાં સાંજના સમયે તેઓ રસ્તો ક્રોસ કરી તેમના સાળા ચીનુભા વાઘેલાના ગલ્લે જતાં હતા. આ દરમ્યાન ડીસા તરફથી આવતી એક બેફામ ટ્રકે તેમને ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માત થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવતાં ટ્રકચાલક થોડે દૂર ટ્રક મુકીને નાસી છુટ્યો હતો. આ તરફ તપાસ કરતાં રઘુવીરસિંહને કમરથી નીચેનો આખો ભાગ કચડાઇ ગયો હોઇ ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના સાળાએ અજાણ્યાં ફરાર ટ્રકચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. થરા પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 134, 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.