દુ:ખદ@દેશ: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન, જાણો અહેમદ પટેલની રાજકીય સફર
અટલ સમાચાર,ડેસ્ક
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે સવારે ગુરૂગ્રામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એકાદ મહિના અગાઉ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમ્યાન આજે સવારે 3:30 વાગે ગુરૂગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હોવાની વિગત તેમના પુત્રએ ટ્વિટર મારફતે આપી હતી. આ તરફ પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજોએ તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
@ahmedpatel pic.twitter.com/7bboZbQ2A6
— Faisal Patel (@mfaisalpatel) November 24, 2020
અહેમદ પટેલના નિધન પર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું છે કે, મેં એક અરપિવર્તનીય કૉમરેડ, એક વફાદાર સહયોગી એન મિત્રને ગુમાવ્યા છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે, અહેમદ પટેલના રૂપમાં મેં એક સહયોગીને ગુમાવ્યા છે, જેમનું સમગ્ર જીવન કૉંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું. તેમની ઈમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવવ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેમનામાં ઉદારતાનો દુર્લભ ગુણ હતો, જે તેમને બીજાથી અલગ કરતા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. અહેમદ પટેલે વર્ષો સુધી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું અને માનવામાં આવે છે કે તેઓ તેમના દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયનો હિસ્સો હતો.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, આ એક દુખદ દિવસ છે. શ્રી અહેમદ પટેલ કૉંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓએ કૉંગ્રેસ પાર્ટી માટે જીવ્યા અને સાથી કઠિન સમયમાં પાર્ટી સાથે ઊભા રહ્યા. તેઓ અતિમહત્ત્વપૂર્ણ હતા. અમે તેમને યાદ કરતાં રહીશું. ફૈઝલ, મુમતાઝ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને અહમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, અહેમદજી એક એવા સિનિયર સાથી હતા જેઓ હંમેશા અમારી સાથે ઊભા રહ્યા. તેમની પાસેથી હું હંમેશા સલાહ અને મંત્રણા કરતી હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
અહેમદ પટેલની રાજકીય સફર
કોંગ્રેસ પાર્ટી અને 10 જનપથના ચાણક્ય મનાતાં સીનિયર નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અહેમદ પટેલે 1976માં મેમૂના અહમદ સાથે લગ્ન કર્યા હતા. તેઓ મેમૂના પટેલ, દીકરા ફૈસલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલને નિરાધાર છોડીને દુનિયામાંથી વિદાય લીધી છે. પટેલનો પરિવાર રાજનીતિથી હાલ દૂર છે. અહેમદ પટેલના દીકરા ફૈસલ પટેલ 39 વર્ષના છે. તેઓ બિઝનેસ એન્ત્રપ્રિન્યોર છે. મૂળ રૂપે તે હેલ્થકેર, એજ્યુકેશન અને ટેક્નોલોજિકલ સેક્ટરમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવા માંગે છે. તેમણે દહેરાદૂનના દૂન પબ્લિક સ્કૂલની હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અમેરિકામાં હવાઈ પેસિફિક યુનિવર્સીટીમાં તેમણે બીબીએની ડિગ્રી લીધી છે. ફૈસલ જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનું વેન્ચર પણ શરૂ કર્યુ છે.
અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસ મેન ઈરફાન સિદ્દિકી સાથે થયા છે. હાલમાં ઈડીએ અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્ધિકીના ઘરે અને ઓફિસ પર રેડ પાડી હતી. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાનની વિરુદ્ધ પગલા ભર્યા હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ઈરફાન સિદ્દિકીએ હાલમાં જ નવી દિલ્હીમાં ઈડી ઓફિસમાં નિવેદન નોંધાવ્યું હતું.
3 વખત લોકસભા સાંસદ અને 5 વખત રાજ્યસભાના સાંસદ રહ્યાં
ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા. આ સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં. સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા. 1996માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.
નોંધનિય છે કે, અહેમદ પટેલ ગાંધી પરિવારના સૌથી નજીક અને ગાંધીઓ બાદ નંબર 2 પર માનવામાં આવી રહ્યા હતા. ઘણા પ્રભાવશાળી અસરવાળા અહેમદ પટેલ લો પ્રોફાઈલ રાખતા હતા. સાઈલેન્ટ અને દરેક માટે સિક્રેટિવ હતા. રાજનીતિથી દુર તેમણે ઘણી સાદગીથી પારિવારીક જીવન વિતાવવું પસંદ હતું. પટેલે પ્રયાસ કરતા કે દિલ્હી અને દેશની મીડિયા તેમની પ્રોફાઈલ ન હોય. તે ટીવી ચેનલ પર નહોતા દેખાતા પરંતુ તેના પર તેમનો કન્ટ્રોલ કરવાનો આરોપ લાગતો હતો. ગાંધી પરિવાર અને પ્રધાનમંત્રીઓને સતત મળતા રહેતા હોવા છતા તેમની તસ્વીરો બહું ઓછી છે.
અહેમદ પટેલે ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977માં ચૂંટણીમાં જ્યારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આોજીત કરી રાજી કરીલીધા હતા. 1977માં જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.
ટ્વિટર પર અહેમદ પટેલને શ્રધ્ધાંજલી
Saddened by the demise of Ahmed Patel Ji. He spent years in public life, serving society. Known for his sharp mind, his role in strengthening the Congress Party would always be remembered. Spoke to his son Faisal and expressed condolences. May Ahmed Bhai’s soul rest in peace.
— Narendra Modi (@narendramodi) November 25, 2020
Ahmed ji was not only a wise and experienced colleague to whom I constantly turned for advice and counsel, he was a friend who stood by us all, steadfast, loyal, and dependable to the end.
His passing away leaves an immense void. May his soul rest in peace.— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 25, 2020
It is a sad day. Shri Ahmed Patel was a pillar of the Congress party. He lived and breathed Congress and stood with the party through its most difficult times. He was a tremendous asset.
We will miss him. My love and condolences to Faisal, Mumtaz & the family. pic.twitter.com/sZaOXOIMEX
— Rahul Gandhi (@RahulGandhi) November 25, 2020
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે.
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ
— Vijay Rupani (@vijayrupanibjp) November 25, 2020
Saddened beyond words by the passing away of Shri @ahmedpatel Ji. It's a great loss to @INCIndia, Gujarat, the nation, & me personally. His contribution to the party will always be remembered.
My deepest condolences to his family in this hour of grief. May his soul rest in peace. pic.twitter.com/XHaUgcfZmF— Amit Chavda (@AmitChavdaINC) November 25, 2020
जब भी मैं दिल्ली अहमद भाई से मिलने जाता था तब वो मुझे बिना खाना खिलाए नहीं जाने देते थे। अहमद भाई सच में बहुत अच्छे व्यक्ति थे। वादा और दोस्ती निभाने वाले इस व्यक्ति का अचानक चले जाना हम सब के लिए दुःखद हैं। भगवान उनके परिवार को हिम्मत दें। ॐ शान्ति।
— Hardik Patel (@HardikPatel_) November 25, 2020
આદરણીય અહમદભાઈ પટેલ નું દિલ્હીમાં મેદાંતા હોસ્પીટલમાં નિધન, અશ્રુસભર હ્રદયાંજલી #INC #Gujarat #AICC pic.twitter.com/gKuMqPYcBF
— Dr.Manish Doshi (@drmanishdoshi) November 25, 2020
कांग्रेस पार्टी के वरिष्ठ राजनेता श्री अहमद पटेल जी का निधन अत्यंत दुःखद है।
मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्मा को शांति एवं शोक संतप्त परिजनों को इस दुःख को सहने की शक्ति प्रदान करें।
ॐ शांति!
— Yogi Adityanath (@myogiadityanath) November 25, 2020
શ્રી અહેમદભાઇ પટેલનાં દુ:ખદ નિધનથી વ્યથિત છું. કોંગ્રેસને મજબૂત બનાવવામાં એમની ભૂમિકા મહત્વની રહી હતી. એમણે કરેલા સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે.
ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.
— C R Paatil (@CRPaatil) November 25, 2020