દુઃખદ@ખેરાલુ: કોરોનાની ચાલુ સારવારે નાયબ મામલતદારનુ મોત, પરિવાર શોકમગ્ન
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના વાયરસને કારણે ખેરાલુના નાયબ મામલતદારનું મોત થતાં પરિવારજનો સહિતના શોકમગ્ન બન્યા છે. ગત દિવસોએ નાયબ મામતલતદારનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે કોરોના વાયરસની સારવાર દરમ્યાન તેમનું મોત થતાં પરિવારજનો સહિત મામલતદાર કચેરીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
Apr 15, 2021, 14:23 IST
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
કોરોના વાયરસને કારણે ખેરાલુના નાયબ મામલતદારનું મોત થતાં પરિવારજનો સહિતના શોકમગ્ન બન્યા છે. ગત દિવસોએ નાયબ મામતલતદારનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે કોરોના વાયરસની સારવાર દરમ્યાન તેમનું મોત થતાં પરિવારજનો સહિત મામલતદાર કચેરીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાની ખેરાલુ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં નાયબ મામલતદારનું કોરોનાથી મોત થયુ છે. 45 વર્ષિય નાયબ મામલતદાર વિજયભાઇ મકવાણાએ ગત દિવસે કોરોના રીપોર્ટ કરાવતાં પોઝિટીવ આવ્યો હતો. જે બાદમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ આજે તેમનું કોરોનાની સારવાર વચ્ચે મોત થયુ છે. કોરોનાનો કાળો કેર વિજયભાઇને ભરખી જતાં પરિવારજનો સહિત કુટુંબમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.