શહિદોને શ્રધ્ધાંજલિઃ રાજપૂત સમાજની સિંહ ગર્જના, જરુર પડે હાકલ કરજો

અટલ સમાચાર, મહેસાણા પુલવામા હૂમલામાં સેનાના વીર શહિદોના સન્માનમાં દેશવાસીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. નાનાથી લઈ વૃધ્ધો સૌ કોઈ બદલો લેવાની નેમ સાથે રોડ ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે મહેસાણાના મોઢેરા અને ચાણસ્માના વસાઈ ખાતે રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પી હતી. તેમજ સમાજે પાકિસ્તાનને ખતમ કરવા જ્યારે પણ આ સમાજની જરુર
 
શહિદોને શ્રધ્ધાંજલિઃ રાજપૂત સમાજની સિંહ ગર્જના, જરુર પડે હાકલ કરજો

અટલ સમાચાર, મહેસાણા

પુલવામા હૂમલામાં સેનાના વીર શહિદોના સન્માનમાં દેશવાસીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. નાનાથી લઈ વૃધ્ધો સૌ કોઈ બદલો લેવાની નેમ સાથે રોડ ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે મહેસાણાના મોઢેરા અને ચાણસ્માના વસાઈ ખાતે રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પી હતી. તેમજ સમાજે પાકિસ્તાનને ખતમ કરવા જ્યારે પણ આ સમાજની જરુર પડે યાદ કરજો ભારતની રક્ષામાં કમી નહી આવવા દઈએ તેવી ગર્જના કરી હતી.

શહિદોને શ્રધ્ધાંજલિઃ રાજપૂત સમાજની સિંહ ગર્જના, જરુર પડે હાકલ કરજોપાકિસ્તાન આતંકીઓને આશરો આપી પાડોશી દેશ ભારત ઉપર ખરાબ દ્રષ્ટી રાખી બેઠો છે. તેની આ હરકત કોઈપણ કાળે સફળ નહી થાય તે હાલમાં ભારતમાં ચાલી રહેલો જનઆક્રોશથી સાબિત થઈ જ ગયું છે.

શહિદોને શ્રધ્ધાંજલિઃ રાજપૂત સમાજની સિંહ ગર્જના, જરુર પડે હાકલ કરજોપુલવામા ખાતે લુચ્ચા આતંકીના હૂમલાથી સીઆરપીએફના 40 જવાનોને શહિદ થયા હતા. જેથી વિર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પવા મહેસાણાના મોઢેરા તેમજ ચાણસ્માના વસાઈ રાજપૂત સમાજે દિપ પ્રગટાવી ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સાંજે 8:00 કલાકે નીકળેલી કેન્ડલ માર્ચમાં સરહદ પર જરુર પડે રાજપૂતોને હાકલ કરજો દેશની રક્ષા કાજે જીવ આપવા તૈયારી દર્શાવી હતી.