યુનિવર્સિટી@ગુજરાત: સિન્ડિકેટ સભ્ય તરીકે વનરાજસિંહ ચાવડાની વરણી
અટલ સમાચાર, અમદાવાદ તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલ સભ્યની ચુંટણીમાં ડૉ.પ્રો.વનરાજસિંહ ચાવડા બિન હરિફ વિજેતા થયા છે. ગત વર્ષની ત્રણ વર્ષની મુદત માટે ગુજરાત સરકાર દ્વારા તેમની સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી અને હવે બીજી વાર આ પોસ્ટ પર ચૂંટણી લડી નિયુક્ત થયા છે. વનરાજસિંહ ચાવડા મૂળ પઢારિયા તા.જી.મહેસાણાના વતની અને હાલ સાયન્સ સિટી, અમદાવાદ
Jul 5, 2019, 12:24 IST
અટલ સમાચાર, અમદાવાદ
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલ સભ્યની ચુંટણીમાં ડૉ.પ્રો.વનરાજસિંહ ચાવડા બિન હરિફ વિજેતા થયા છે. ગત વર્ષની ત્રણ વર્ષની મુદત માટે ગુજરાત સરકાર દ્વારા તેમની સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી અને હવે બીજી વાર આ પોસ્ટ પર ચૂંટણી લડી નિયુક્ત થયા છે.
વનરાજસિંહ ચાવડા મૂળ પઢારિયા તા.જી.મહેસાણાના વતની અને હાલ સાયન્સ સિટી, અમદાવાદ સ્થિત વનરાજસિંહ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ તથા ગુજરાત રાજ્ય બિન અનામત નિગમના ડાયરેકટર કરણસિંહ ચાવડાના પુત્ર છે. ભારતીય સંસ્કૃતિ વિષય પર ડોક્ટરેટની પદવી(p.hd)હાંસલ કરનાર ચાવડાની આ.પ્રોફેસર તરીકે ગુજરાત યૂનિવર્સિટીમાં નિમણુંક પણ થયેલ છે.