વડગામ: અજગર દેખાતા અફરાતફરી, રેસ્કયુ કરી વનવિભાગને સોંપાયો
અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી) વડગામ તાલુકાના જલોતરા ગામમાં ફરી એકવાર અજગર દેખાતા લોકોમાં ભયના માહોલ વ્યાપી ગયો છે. જલોતરા ગામમાં રહેતા ભુરીયા જેશંગભાઇના ખેતરમાં અજગર દેખાતા લોકોએ વનવિભાગને જાણ કરી હતી. જોકે વનવિભાગની ટીમ આવે તે પહેલા સ્થાનિક યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી અજગરને પકડી વનવિભાગ ને સોંપી દિધો હતો. બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામે ફરી
Jul 26, 2019, 18:30 IST
અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)
વડગામ તાલુકાના જલોતરા ગામમાં ફરી એકવાર અજગર દેખાતા લોકોમાં ભયના માહોલ વ્યાપી ગયો છે. જલોતરા ગામમાં રહેતા ભુરીયા જેશંગભાઇના ખેતરમાં અજગર દેખાતા લોકોએ વનવિભાગને જાણ કરી હતી. જોકે વનવિભાગની ટીમ આવે તે પહેલા સ્થાનિક યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી અજગરને પકડી વનવિભાગ ને સોંપી દિધો હતો.
બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામે ફરી એકવાર અજગર દેખાતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળયો હતો. જોકે વનવિભાગને જાણ કરાતા વનવિભાગના અધિકારીઓ આવે તે પહેલા જ સ્થાનિકોએ અજગરને રેસ્કયુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. જોકે, વનવિભાગને અજગરને જંગલમાં છોડી મુકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.