વડગામમાં યોજાયેલી લેન્ડ કમીટીમાં ૩૨ અરજદારો ના પ્લોટ મંજુર કરાયા
અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકા પંચાયત ખાતે ઘણા સમય બાદ તાલુકાની લેન્ડ કમીટી તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી .જેમા પ્રાંન્ત અધિકારી વડગામ મામલતદાર આર.સી.ઠાકોર,વડગામ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર,વડગામ સર્કલ મફાજી રાજપુત,છાપી સર્કલ વિજય ચૌધરી,રમણલાલ ચોરાચિયા,સહીત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન રતિલાલ પરમાર સહીત ની હાજરીમાં તાલુકાની લેન્ડ કમીટી યોજાઇ હતી. જેમા પ્રધાનમંત્રી યોજના હેઠળ ૩૨
Jan 8, 2019, 15:58 IST
અટલ સમાચાર,વડગામ
વડગામ તાલુકા પંચાયત ખાતે ઘણા સમય બાદ તાલુકાની લેન્ડ કમીટી તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી .જેમા પ્રાંન્ત અધિકારી વડગામ મામલતદાર આર.સી.ઠાકોર,વડગામ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર,વડગામ સર્કલ મફાજી રાજપુત,છાપી સર્કલ વિજય ચૌધરી,રમણલાલ ચોરાચિયા,સહીત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન રતિલાલ પરમાર સહીત ની હાજરીમાં તાલુકાની લેન્ડ કમીટી યોજાઇ હતી. જેમા પ્રધાનમંત્રી યોજના હેઠળ ૩૨ જેટલા પ્લોટ મંજુર કરાયા છે. જયારે ૩ પ્લોટ પેન્ડીંગ રાખવામાં આવ્યા હોવાનુ તેમજ ૧૦ અરજદારોની અરજીઓ ના મંજુર કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.