વિજાપુરઃ વેપારી સાથે 8,40,830 રૂપિયાની છેતરપિંડી આચરી
અટલ સમાચાર, મહેસાણા વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે હસમુખભાઈ ખોડાભાઈ સેધાભાઈ ચૌધરી રહે.રંગાકુઈ, વિસનગરવાળા પાસે પ્રજાપતિ રમેશભાઈ ગલબાભાઈ તેમજ પ્રજાપતિ કિશનકુમાર રમેશભાઈ બન્ને રહે.સકલાણા, તા.વડગામ, જિ.બ.કાં.વાળાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. અને તેમની પાસે 3212 મણ બટાકાની ખરીદી કરી હતી. જેની કિ.રૂ.8,40,830 સમય મર્યાદા પૂર્ણ થવા છતાં ચુકવી આપેલ ના હોવાથી ફરિયાદીની વારંવાર ઉઘરાણી છતાં
Mar 14, 2019, 14:19 IST
અટલ સમાચાર, મહેસાણા
વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે હસમુખભાઈ ખોડાભાઈ સેધાભાઈ ચૌધરી રહે.રંગાકુઈ, વિસનગરવાળા પાસે પ્રજાપતિ રમેશભાઈ ગલબાભાઈ તેમજ પ્રજાપતિ કિશનકુમાર રમેશભાઈ બન્ને રહે.સકલાણા, તા.વડગામ, જિ.બ.કાં.વાળાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. અને તેમની પાસે 3212 મણ બટાકાની ખરીદી કરી હતી.
જેની કિ.રૂ.8,40,830 સમય મર્યાદા પૂર્ણ થવા છતાં ચુકવી આપેલ ના હોવાથી ફરિયાદીની વારંવાર ઉઘરાણી છતાં કિંમત ચુકવણી કરી આપી નહોતી. જેથી હસમુખભાઈ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં વિજાપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી બન્ને આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.