વિજયનગર: કલાલ ગામે ઘઉંના ખેતરમાં અચાનક આગ લાગતા દોડધામ
અટલ સમાચાર,સાબરકાંઠા સાબરકાંઠાના વિજયનગરના કલાલ ગામે ગુરૂવારે બપોરે ઘઉંના એક ખેતરમાં અચાનક આગ લાગી હતી. જોકે ખેડુતોની સજાગતાથી મોટી નુકશાન થતા રહી ગયુ હતુ. સાબરકાંઠામાં હમણા થોડાક દિવસો અગાઉ જીઇબીના વાયરના તણખા ના કારણે એક ખેતરમાં આગ લાગતા ખેડુતને મોટુ નુકશાન થયુ હતુ. જોકે ગુરૂવારે વિજયનગરના કલાલ ગામે બપોરના સમયે અચાનક ઘઉંના ખેતરમાં આગ લાગતા
Mar 28, 2019, 19:02 IST
અટલ સમાચાર,સાબરકાંઠા
સાબરકાંઠાના વિજયનગરના કલાલ ગામે ગુરૂવારે બપોરે ઘઉંના એક ખેતરમાં અચાનક આગ લાગી હતી. જોકે ખેડુતોની સજાગતાથી મોટી નુકશાન થતા રહી ગયુ હતુ.
સાબરકાંઠામાં હમણા થોડાક દિવસો અગાઉ જીઇબીના વાયરના તણખા ના કારણે એક ખેતરમાં આગ લાગતા ખેડુતને મોટુ નુકશાન થયુ હતુ. જોકે ગુરૂવારે વિજયનગરના કલાલ ગામે બપોરના સમયે અચાનક ઘઉંના ખેતરમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. જોકે, આગની જાણ થતા ખેડુતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને આગ બુઝાવવાની મથામણ શરૂ કરતા મોટું નુકશાન થતા બચી ગયુ છે.