મુલાકાત@રાધનપુર: કોરોના સંક્રમણથી પ્રભાવિત ગામોના આગેવાનો સાથે કલેક્ટરની બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકામાં પણ કોરોના વાયરસના કેસોનો આંકડો સતત વધી રહ્યો હોઇ કલેક્ટર એક્શનમાં આવ્યા છે. આજે પાટણ કલેક્ટરએ કોરોના સંક્રમણથી પ્રભાવિત ગામોની મુલાકાત લઇ સરપંચો અને આગેવાનો સાથે બેઠક કરી હતી. આ સાથે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી. આ તરફ કલેક્ટરે ગ્રામજનો ખૂબ જ અગત્યના કામ
 
મુલાકાત@રાધનપુર: કોરોના સંક્રમણથી પ્રભાવિત ગામોના આગેવાનો સાથે કલેક્ટરની બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકામાં પણ કોરોના વાયરસના કેસોનો આંકડો સતત વધી રહ્યો હોઇ કલેક્ટર એક્શનમાં આવ્યા છે. આજે પાટણ કલેક્ટરએ કોરોના સંક્રમણથી પ્રભાવિત ગામોની મુલાકાત લઇ સરપંચો અને આગેવાનો સાથે બેઠક કરી હતી. આ સાથે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી. આ તરફ કલેક્ટરે ગ્રામજનો ખૂબ જ અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું તેવી અપીલ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુલાકાત@રાધનપુર: કોરોના સંક્રમણથી પ્રભાવિત ગામોના આગેવાનો સાથે કલેક્ટરની બેઠક

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીંપળી અને નાની પીંપળી ગામની જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના સંક્રમણથી વધુ પ્રભાવિત એવા આ ગામોના આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ગામમાં જો કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો દસ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અતિઆવશ્યક છે.

મુલાકાત@રાધનપુર: કોરોના સંક્રમણથી પ્રભાવિત ગામોના આગેવાનો સાથે કલેક્ટરની બેઠક

કલેક્ટર ગુલાટીએ જણાવ્યું હતુ કે, જેને પણ શરદી, તાવ કે કળતર જેવા હળવા લક્ષણો જણાય તેમણે પહેલા જ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવતી દવાઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરવું જોઈએ. જેનાથી શરૂઆતથી જ તેના પર કાબુ મેળવી શકાય અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી ન થાય. કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય અને નાના ઘર કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા ગ્રામજનો ઘરના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થાય તે માટે પણ જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી ડી.એસ.ટાંક, મામલતદાર એમ.વી.મકવાણા, તાલુકા વિકાસ અધિકારી કે.એસ.ભાટીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.કેતન ઠક્કર તથા પોલીસ ઇંસ્પેક્ટર આર.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત@રાધનપુર: કોરોના સંક્રમણથી પ્રભાવિત ગામોના આગેવાનો સાથે કલેક્ટરની બેઠક

સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર ખડેપગે

રાધનપુર સહિત પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર ખડેપગે છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમ્યાન હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાની કીટ પણ આપવામાં આવી રહી છે. આ સર્વેલન્સ દરમ્યાન વધુ સંક્રમણ ધરાવતા ગામોમાં લોકજાગૃતિ કેળવાય તથા સંક્રમણ અટકાવવા સઘન પ્રયત્નો થાય તે માટે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ સરપંચશ્રીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી વહિવટી તંત્રને સહકાર આપવા ઉપરાંત સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.