વિસનગરઃ બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા કંડક્ટર દશરથજીનો વિદાય સમારંભ યોજાયો
અટલ સમાચાર ખેરાલુ (મનોજ બી ઠાકોર) આજરોજ વિસનગર એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ઠાકોર દશરથજી અનુપજી કંડક્ટર બેજ નંબર 38 948 જે મગરવાડા નાઇટના રૂટમાં ફરતા હતા. તેમનો આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય ત્યારે તેમનો વિદાય સમારંભ બસ સ્ટેન્ડના આવેલા રેસ્ટરૂમ ખાતે 10:00 કલાકે સવારે રાખવામાં આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
Jul 31, 2020, 15:08 IST
અટલ સમાચાર ખેરાલુ (મનોજ બી ઠાકોર)
આજરોજ વિસનગર એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ઠાકોર દશરથજી અનુપજી કંડક્ટર બેજ નંબર 38 948 જે મગરવાડા નાઇટના રૂટમાં ફરતા હતા. તેમનો આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય ત્યારે તેમનો વિદાય સમારંભ બસ સ્ટેન્ડના આવેલા રેસ્ટરૂમ ખાતે 10:00 કલાકે સવારે રાખવામાં આવ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ કાર્યક્રમમાં ડેપો મેનેજર ડ્રાઇવર અને કંડક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. અને ઠાકોર દશરથજીએ દેણપ ગામના વતની છે. તેમનો વિદાય સમારોહ યોજાયો ત્યારે ડેપો મેનેજર સહિત સ્ટાફએ ફુલહાર શાલ ઓઢાડી મોમેન્ટ આપી અને સાથી મિત્રોએ ભેટ અર્પણ કરી હતી. અને તેમનો નિવૃત્તિ જીવન સુખમય નિવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ બાદ ભોજન લઇ તમામ મિત્રો છુટા પડ્યા હતા. અને નિવૃત થતા દશરથજીને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.