વિસનગરઃ બોકરવાડાની 16 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાઈ

અટલ સમાચાર, મહેસાણા સગીરાને અપહરણ કરી જવાના ઘટનાઓમાં વધારો, સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો જિલ્લામાં સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં દાહોદથી વિજાપુરમાં મજૂરી અર્થે સ્થાયી થયેલ પરિવારની પુત્રીને રાજસ્થાની યુવક ભગાડી ગયો હતો. ત્યારે વિસનગર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં બોકરવાડાની એક 16 વર્ષની સગીરાને ભગાડી જવાનો
 
વિસનગરઃ બોકરવાડાની 16 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાઈ

અટલ સમાચાર, મહેસાણા

સગીરાને અપહરણ કરી જવાના ઘટનાઓમાં વધારો, સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

જિલ્લામાં સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં દાહોદથી વિજાપુરમાં મજૂરી અર્થે સ્થાયી થયેલ પરિવારની પુત્રીને રાજસ્થાની યુવક ભગાડી ગયો હતો. ત્યારે વિસનગર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં બોકરવાડાની એક 16 વર્ષની સગીરાને ભગાડી જવાનો કિસ્સો સામે આવતા સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

વિસનગર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ દેવિપૂજક કેતન કિશનભાઈ સમાજની જ 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે ભગાડી જવાઈ છે. જેની મદદગારીમાં સામેલ દેવિપૂજક કિશન જોઈતાભાઈ, દેવીપૂજક ગાંડા ભીખાભાઈ, દેવીપૂજક શૈલેશ બબાભાઈ, દેવીપૂજક મુકેશ વેલાભાઈ રહે.તમામ બોકરવાડા, તા.વિસનગરવાળા વિરુદ્ધ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે ગુનો નોંધી સગીરાને શોધી કાઢવાના ચક્રો તેજ કર્યા છે.