રીપોર્ટ@દેશ: પીએમ મોદીએ ઈદના અવસર પર શુભકામના પાઠવી, દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશભરમાં આજે ઈદ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. એક મહિનાના ઉપવાસ પછી, લોકો મસ્જિદોમાં નમાઝ અદા કરે છે, એકબીજાને ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે. મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝનો સમય પહેલાથી જ નક્કી થઈ ગયો છે. ઈદનો દિવસ "ઈદ નમાઝ" નામની ખાસ નમાઝથી શરૂ થાય છે, જે ખુલ્લી જગ્યાઓ અથવા મસ્જિદોમાં અદા કરવામાં આવે છે. નમાઝ પછી, લોકો એકબીજાને ગળે લગાવે છે અને ઈદ મુબારક કહે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદના અવસર પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ તહેવાર ભાઈચારો અને માનવતાને વધુ મજબૂત બનાવે છે. સૌને ખુશી અને સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા તેમણે ઈદ મુબારક પાઠવ્યા. તેમણે નવરોઝના ખાસ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી. તેમણે કહ્યું કે આ વર્ષ સૌ માટે ખુશી અને સમૃદ્ધિ લાવે, સૌ સ્વસ્થ રહે અને તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય.દેશભરમાં ઇદ તહેવારની ઉજવણીને લઈને સુરક્ષા રાખવામાં આવી રહી છે. સવંદેનશીલ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ટાળવા ખાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ઈદ માટે સમગ્ર નવી દિલ્હીમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીથી દૂર રહેવાની પણ અપીલ કરી છે.

