હવામાન@ગુજરાત: કમોસમી વરસાદ અને ચક્રવાતને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

 
અંબાલાલ
રાજ્યભરના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના પગલે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ રાહત આંશિક હોય તેવુ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી 2 દિવસ બાદ ફરી તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 25 એપ્રિલથી ફરી ગરમીનું જોર ફરી વધશે. એટલું જ નહીં 15થી 17 એપ્રિલ સુધી હીટવેવની અસર પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યભરના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.

તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છનું હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે જ ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે. હવામાનમાં પલટા વચ્ચે તેમણે દરિયામાં પણ ચક્રવાત આવે તેવી આગાહી કરી છે. 15 જૂન પહેલા દરિયામાં તોફાન, વંટોળ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. તો અરબી સમુદ્રના ચક્રવાતની હવામાન પર અસર થઈ શકે છે. આ સાથે મે મહિનામાં પણ બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરી છે.