આગાહી@ગુજરાત: 30-40 કિમીની ઝડપે ફૂંકાશે પવન, કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ? જાણો
હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ચક્રવાત આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં 26 થી 28 ડિસેમ્બર દરમિયાન ચક્રવાત થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ટ્રફ, સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય રહેશે. દક્ષિણ રાજસ્થાનમાં પણ સિંધુ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે.જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેશે. તે પછી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 ડિસેમ્બરને ગુરુવારથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી છે. , સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે 27મીએ આગાહી કરતા કહ્યું કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત અને વલસાડમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.28મી ડિસેમ્બરે સૌરાષ્ટ્રના તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.