વાવઃ લોકડાઉનમાં બહારથી આવેલા પરિવારને પ્રા.શાળામાં કોરોન્ટાઇન કરાયા
અટલ સમાચાર, વાવ (દશરથ ઠાકોર) દેશમાં કોરોનાની મહામારીએ ખૂબજ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. આ સમયે કોરોનાની મહામારી વચ્ચે વાવ મામલતદાર કે.કે ઠાકોર દ્રારા તા-6-5-2020ના રોજ જાહેરનામું પાડ્યું છે કે, બહારથી આવતા લોકોને તેમના ઘરે હોમકોરોન્ટાઇન કરવાના હોય છે પણ બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા લોકોને કોરોના પોઝીટીવ કેસ આવતા તેમને હવે જે તે ગામની પ્રા
May 8, 2020, 18:03 IST
અટલ સમાચાર, વાવ (દશરથ ઠાકોર)
દેશમાં કોરોનાની મહામારીએ ખૂબજ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. આ સમયે કોરોનાની મહામારી વચ્ચે વાવ મામલતદાર કે.કે ઠાકોર દ્રારા તા-6-5-2020ના રોજ જાહેરનામું પાડ્યું છે કે, બહારથી આવતા લોકોને તેમના ઘરે હોમકોરોન્ટાઇન કરવાના હોય છે પણ બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા લોકોને કોરોના પોઝીટીવ કેસ આવતા તેમને હવે જે તે ગામની પ્રા શાળામાં કોરોન્ટાઇન કરવામાં આવે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના લાલપુરા ગામનો દેસાઈ પરિવાર આજે સવારે બોટાદથી આવ્યો હતો ત્યારે લાલપુરા સરપંચ, તલાટી ક્રમમંત્રી દ્રારા ઘણી સમજાવટ બાદ તેમણે પ્રા.શાળામાં રાખવામાં આવ્યા હતા. કોરોના મહામારી વચ્ચે ફરજ બનીને તેમના પરિવારે ઘરેથી તમામ જાતની વ્યવસ્થા કરી આપી હતી..