ભાવનગર: 281 અનાથ દીકરીઓના સમૂહ લગ્ન, ડ્રોનની નજરે જુઓ સુંદર માહોલ
આ સમૂહ લગ્નમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની માતાપિતા વગરની 281 દીકરીઓના ધામધૂમથી લગ્ન થયા હતાં. (ચિરાગ ત્રિવેદી) આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુભાઈ વાઘાણીએ પણ હાજરી આપી હતી. તેમનું સ્વાગત જીપમાં બેસાડી અને ઢોલ નાગાર વગાડીને કરવામાં આવ્યું હતું. તેમના ઉપરાંત મનસુખ માંડવીયા અને વિભાવરીબેને પણ હાજરી આપી હતી. તેમના ઉપરાંત ખોડલધામના નરેશ
Nov 29, 2018, 17:45 IST
આ સમૂહ લગ્નમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની માતાપિતા વગરની 281 દીકરીઓના ધામધૂમથી લગ્ન થયા હતાં. (ચિરાગ ત્રિવેદી)
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુભાઈ વાઘાણીએ પણ હાજરી આપી હતી. તેમનું સ્વાગત જીપમાં બેસાડી અને ઢોલ નાગાર વગાડીને કરવામાં આવ્યું હતું. તેમના ઉપરાંત મનસુખ માંડવીયા અને વિભાવરીબેને પણ હાજરી આપી હતી. તેમના ઉપરાંત ખોડલધામના નરેશ પટેલે પણ હાજરી આપી હતી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીએ પણ હાજરી આપીને તરત નીકળી ગયા હતા.
આયોજક પરિવાર દ્વારા કન્યાઓને જીવન જરૂરિયાતની ગૃહઉપયોગી અનેક ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાઇ છે. તે ઉપરાંત સરકારી યોજનાઓ જેવી કે સપ્તપદીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરાના લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે
અહીંયા મેગા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 1000 બોટલ રક્તનો ટાર્ગેટ પુરો થયો હતો.