નિર્ણય@ગુજરાત: ચૂંટણી બાદ કોરોના બેકાબૂ, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર, જુઓ ક્યાં સુધી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અચાનક કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના ચાર મહાનગરોમાં ફરી એકવાર રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય
 
નિર્ણય@ગુજરાત: ચૂંટણી બાદ કોરોના બેકાબૂ, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર, જુઓ ક્યાં સુધી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અચાનક કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના ચાર મહાનગરોમાં ફરી એકવાર રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં ચૂંટણીઓ બાદ સતત વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે. જોકે, આજે માત્ર એક દિવસ (મંગળવાર) રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી જ રહેશે પણ આવતી કાલ બુધવાર થી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રહશે.