નિર્ણય@ગુજરાત: રાજ્યમાં એન્ટ્રી માટે કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજીયાત, તમામ સરહદો સીલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેરને લઇ હવે સરકાર એક્શનમાં આવી હોય તેમ રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. હવે ગુજરાતના પડોશી રાજ્યોમાંથી પ્રવેશ કરનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરવા માંગતા તમામ મુસાફરોને કોરોના
 
નિર્ણય@ગુજરાત: રાજ્યમાં એન્ટ્રી માટે કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજીયાત, તમામ સરહદો સીલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેરને લઇ હવે સરકાર એક્શનમાં આવી હોય તેમ રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. હવે ગુજરાતના પડોશી રાજ્યોમાંથી પ્રવેશ કરનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરવા માંગતા તમામ મુસાફરોને કોરોના ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@ગુજરાત: રાજ્યમાં એન્ટ્રી માટે કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજીયાત, તમામ સરહદો સીલ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાથે સંકળાયેલી રાજસ્થાનની તમામ સરહદો પર ફરજિયાત કોરોના ટેસ્ટ બાદ રિપોર્ટ નેગેટિવ હશે, તો જ પ્રવેશ આપવામાં આવશે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ, થરાદ અને ધાનેરા ચેક પોસ્ટ પર બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા એન્ટીજન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે મધ્ય પ્રદેશથી આવનારા મુસાફરો માટે દાહોદ ચેક પોસ્ટ પર મુસાફરીના 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે, તેને જ એન્ટ્રી આપવામાં આવશે. આ ઉપરાંત દાહોદમાં એન્ટ્રી કરી રહેલા સૌ કોઈનું મેડિકલ સ્ક્રિનિંગ પણ થઈ રહ્યું છે.

નિર્ણય@ગુજરાત: રાજ્યમાં એન્ટ્રી માટે કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજીયાત, તમામ સરહદો સીલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તરફ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો આંકડો રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે ગુજરાતનું આરોગ્ય ખાતુ પણ હરકતમાં આવ્યું છે. જે મુજબ મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરવા માંગતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ સિવાય દરેક મુસાફરોનો મેડિકલ સ્ક્રિનિંગ પણ થઈ રહ્યું છે. આજ રીતે રાજ્યના રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડ માટે પણ સરકાર દ્વારા SoP જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેનમાં ગુજરાત આવી રહેલા પેસેન્જરોએ પણ 72 કલાક પહેલા કઢાવેલો RT-PCR ટેસ્ટ પોતાની પાસે રાખવો પડશે અને અધિકારીઓ માંગે ત્યારે બતાવવો પડશે. આજ રીતે એસટીંમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરો માટે પણ RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ.