ગુજરાત: ઉત્તરવહી મુલ્યાંકનમાં છબરડામાં 72 શિક્ષકોએ દંડ નહિ ભરતા નોટીસ
અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં છબરડા કરાયા હતા. ગુજરાત ખાતે આશરે 2500થી વધુ શિક્ષકોએ મૂલ્યાંકનની કામગીરીમાં ભૂલો કરી હતી. ગત વર્ષે યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાના પેપરની ચકાસણીમાં શિક્ષકો દ્વારા છબરડા કરવામાં આવ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરત ખાતે આવા છબરડા કરનાર 72 શિક્ષકોને
Dec 28, 2019, 12:37 IST
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં છબરડા કરાયા હતા. ગુજરાત ખાતે આશરે 2500થી વધુ શિક્ષકોએ મૂલ્યાંકનની કામગીરીમાં ભૂલો કરી હતી. ગત વર્ષે યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાના પેપરની ચકાસણીમાં શિક્ષકો દ્વારા છબરડા કરવામાં આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરત ખાતે આવા છબરડા કરનાર 72 શિક્ષકોને નોટિસ ફટકારાઈ હતી. તો સામે સુરતના 72 શિક્ષકોને રૂ. 72,600નો દંડ પણ ફટકરાયો હતો. શિક્ષક દ્વારા આ દંડની રકમ નહીં ભરતા DEOએ નોટિસ ફટકારી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કેપ રાજ્યમાં 2500 થી વધુ શિક્ષકોએ મૂલ્યાંકન કામગીરીમાં ભૂલો કરી હતી. જેની વિધાર્થીઓના ભવિષ્ય પર માઠી અસર પડી શકે છે.