ગુજરાતઃ રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2ના મોત

અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ચાર રસ્તા પાસે રીક્ષા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકોનાં મોત નીપજ્યા છે. અકસ્માતની મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે 11.30 કલાકે નવાયાર્ડ બાજુથી પૂરપાટ ઝડપે કાર આવી રહી હતી. તે દરમિયાન સામેની બાજુથી રીક્ષા આવી રહી હતી.
 
ગુજરાતઃ રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ચાર રસ્તા પાસે રીક્ષા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકોનાં મોત નીપજ્યા છે. અકસ્માતની મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે 11.30 કલાકે નવાયાર્ડ બાજુથી પૂરપાટ ઝડપે કાર આવી રહી હતી. તે દરમિયાન સામેની બાજુથી રીક્ષા આવી રહી હતી. આ બંન્ને વાહનો સામસામે અથડાયા હતાં.

અકસ્માતના સમયે રીક્ષામાં સવાર બે લોકો ધર્મવીર લાલસિંહ અને સુરજીત સરદારસિંહ નટવરીયાનાં મોત નીપજયા છે. જ્યારે રીક્ષામાં સવાર અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે. જ્યારે કાર ચાલક અલ્કેશભાઇ કાન્સીકની ધરપકડ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ અકસ્માતમાં ઇજાગ્રસ્તો પાસેથી ગાંજો અને ચિલમ પણ મળી આવ્યાં હતાં. બંન્ને ઇજાગ્રસ્તો મકરપુકરા વિસ્તારનાં રહેવાસી છે. આ અંગે ફતેહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ચાર રસ્તા પાસે રીક્ષા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકોનાં મોત નીપજ્યા છે. આ અંગે ફતેહગંજ પોલીસે ગુનો નોંધીને 28 વર્ષનાં કાર ચાલક અલ્કેશભાઇ કાન્સીકની ધરપકડ કરવામાં આવી છે.