ગુજરાતઃ અનૈતિક સંબંધની જાણ થતા પહેલા પતિએ પછી પ્રેમીએ તરછોડી

અટલ સમાચાર, ડેસ્ક સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાને અનૈતિક સંબધ રાખવા ભારે પડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાનાં અનૈતિક સંબધની જાણકારી મળતા પરિણીતાને પતિ એ છોડી મૂકી તો બીજી બાજુ પ્રેમીએ મૈત્રી કરાર કરી સાથે રહ્યા બાદ તેણીને તરછોડી દેતા અમરોલી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. સુરતમાં પરિણીતાને પતિ અને પ્રેમી બંનેને ગુમાવવાનો વારો
 
ગુજરાતઃ અનૈતિક સંબંધની જાણ થતા પહેલા પતિએ પછી પ્રેમીએ તરછોડી

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાને અનૈતિક સંબધ રાખવા ભારે પડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાનાં અનૈતિક સંબધની જાણકારી મળતા પરિણીતાને પતિ એ છોડી મૂકી તો બીજી બાજુ પ્રેમીએ મૈત્રી કરાર કરી સાથે રહ્યા બાદ તેણીને તરછોડી દેતા અમરોલી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં પરિણીતાને પતિ અને પ્રેમી બંનેને ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતનાં અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠા કૃષ્ણા સોસાયટીમાં રહેતા પ્રવિણ કરશન ચૌહાણે ચારેક વર્ષ પહેલા પોતાના ઘરનાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બનાવેલા રૂમ મૂળ રાજકોટનાં વતની એવા સોલંકી પરિવારને ભાડે આપ્યો હતો. આ દરમિયાનમાં પ્રવિણ અને ભાડૂઆત એ‌ક સંતાનની માતા એવી મહિલા સાથે આંખ મળતા તેમની વચ્ચે અનૈતિક સંબંધ બંધાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રવિણે પોતાની પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપતા તેની પર પરિણીતાને વિશ્વાસ આવ્યો હતો. દરમિયાન અવાર નવાર આ બંને જણા પતિ પત્ની તરીકેનાં સંબંધ બાંધતા હતા. આ પ્રેમ સંબંધની જાણ પ્રવિણની પત્નીને થતા તેણે રૂમ ખાલી કરાવી નાખ્યો હતો. જોકે, પ્રવીણને પરિણીતા મહિલાને રહેવા માટે ફ્લેટ લઇ આપ્યો હતો. જોકે, પ્રવીણ આ મહિલાને ફ્લેટ તેના નામે કરી આપવાની લાલચ આપતો હતો. આ પ્રેમ સંબંધની જાણ પરિણીત મહિલાનાં પતિને થતા આ બાબતે પતિ પત્ની ઝગડો થતા મહિલા સૌરાષ્ટ્ર પિયરમાં ચાલી ગઇ હતી.

તા.9-5-2019નાં રોજ પ્રવિણ પરણિત મહિલાનાં પિયરમાં પણ પહોંચી ગયો હતો અને ત્યાં પરિણીત પ્રેમિકાને લઇને જસદણ કોર્ટમાં મૈત્રી કરાર કર્યો હતો. ત્યારબાદ તેઓ પ્રવિણનાં વતન આટકોટ તાલુકાનાં સાંથળી ગામે જઇને નવ દિવસ સુધી સાથે રહ્યાં હતા. તા.12-5-19નાં રોજ પ્રવિણ પરિણીત પ્રેમિકાને પોતાની પત્ની છુટાછેડા આપવા માટે સુરત જવાનું કહીને નિકળી ગયો હતો. સુરત આવ્યા બાદ પ્રવિણે આ પરણીતા ફોન ઉઠાવાના બંધ કરી નાંખ્યા હતા. માત્ર એક વખત ફોન કરીને કહ્યું હતું કે, તું પિયરમાં જતી રહેજે. એમ કહેતા તે પિયરમાં ચાલી ગઇ હતી. આ વાત થયા બાદ પ્રવિણે તેણી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પોતાની સાથે વિશ્વાઘાત દગો થયો હોવાનો અહેસાસ થતા પરિણીતા તાત્કાલિક પોતાની સાથે ઠગાઈ થયું હોવાનું લાગતા પરિણીત મહિલાએ પ્રેમી પ્રવીણ સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.