પાટણ-હારીજઃ હાઈવે માર્ગનાં નવીનીકરણમાં ડીવાઈડરમાં વાવવામાં આવેલા છોડનું જતન ના અભાવે બાળમરણ

આર એન્ડ બી વિભાગ દ્વારા પુરતી દેખ રેખ ન રાખવાના કારણે આ ડિવાઈડર માં રોપવામાં આવેલ કરણ ના ફૂલના નાના છોડવાઓ ઉનાળા ની કાળઝાળ ગરમીમાં સુકાઈ ને બાળ મરણ પામ્યા હોય તેવું લાગી રહ્યું છે.
 
સોડ

અટલ સમાચાર, ડેસ્ક


પાટણ શહેરના હાઈવે માર્ગનાં નવીનીકરણ કરણ બાદ માગૅની વચ્ચે બનાવવામાં આવેલ ડિવાઈડરોમા પયૉવરણ હરિયાળું બનાવવા વિવિધ પ્રકારના વૃક્ષો નું રોપણ કરવામાં આવતું હોય છે. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા નાં કારણે અને વૃક્ષો ને સમયસર પુરતાં પ્રમાણમાં પાણી નહી મળતા આવા વૃક્ષોનું બાળ મરણ થતુ હોય છે. ત્યારે આવા જ કેટલાક વૃક્ષો બાળ મરણ અવસ્થામાં શહેરના પાટણ હારીજ હાઇવે ને ફોરલેન બનાયા બાદ વચ્ચેના ડીવાઈડર માં વાવવામાં આવેલા વૃક્ષો માં જોવા મળી રહ્યા છે.
ડિવાઈડર વચ્ચે કરાયેલા વૃક્ષોના વાવેતર બાદ તેનું આર એન્ડ બી વિભાગ દ્વારા પુરતી દેખ રેખ ન રાખવાના કારણે આ ડિવાઈડર માં રોપવામાં આવેલ કરણ ના ફૂલના નાના છોડવાઓ ઉનાળા ની કાળઝાળ ગરમીમાં સુકાઈ ને બાળ મરણ પામ્યા હોય તેવું લાગી રહ્યું છે.

માનવની જેમ વૃક્ષો પણ સજીવ છે તેના જતન માટેની આર એન્ડ બી વિભાગ દ્વારા ચિંતા સેવી પાટણ હારીજ ફોર લેન રોડના ડિવાઈડરમા કરાયેલા વૃક્ષોનાં વાવેતરને જીવંત રાખવા સમયાંતરે પાણી આપવામાં આવે તેવું માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.