ઘટના@સુરતઃ દહેજના કારણે 2 છોકરાઓની માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક
સુરતના પોશ વિસ્તાર એવા વેસુમાં ૩૩ વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પરણીતાના પરિવારજનોનો આરોપ છે કે, દીકરીને મારવામાં આવી. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી મારી પુત્રીને દહેજમાં હેરાન-પરેશાન કરતા હતા. તેને કારણે મારી પુત્રીએ ગતરોજ ગળે ફાસો આપઘાત. પુત્રીના બે સંતાનો પણ છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવારો આમને-સામને થયાં.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ સમગ્ર બાબતે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જ્યોતિ બેન ગોવિયા,વેસુ વાસ્તુગ્રામ રહેતા હતા. પતિ સાહિલ ગોવિયા પર અત્યાચારનો આરોપ લગાવોય ચે. 5 વર્ષ લગ્નને થયા છે. સંતાનોમાં 2 બાળકો છે. મૃતક જ્યોતિ M ટેક એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ચુકી છે.
.
સુરતમાં બીજા બનાવમાં પાંચ વર્ષ પહેલાં મહિલા પર બળાત્કારના ગુનામાં બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત બસ ડેપો પાસે બેસેલી મહિલાને અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા અમદાવાદથી સુરત આવી હતી. તબિયત ખરાબ હોવાથી ડેપો પાસે બેઠી હતી. છોટારામ કુશવાહ અને રામુસિંગ રાજપૂત મહિલાને વિશ્વાસમાં લઇ અવાવરું જગ્યા પર લઈ ગયા હતા.
ગાય ભેંસોના તબેલા પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. મહિલાને પેરાસીતામોલ અને અન્ય દવાઓ પીવડાવી સ્મીમેરમાં મૂકી ગયા હતા. સ્મિમેરના સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા હતા. કોર્ટે આરોપીઓને 20 વર્ષ કેદ અને 5 લાખ દંડની સજા ફટકારી હતી.