દુર્ઘટના@સુરતઃ તાપી નદીમાં બોટ પલટી જતા 2 યુવકોનાં કરૂણ મોત, 3નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં આવેલી તાપી નાદીમાં આજે માછીમારી કરવા ગયેલા યુવાનોની બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. જોકે બોટમાં સવાર પાંચમાંથી 3 યુવાન કિનારા પર નીકળી આવ્યા હતા. પરંતુ બે યુવાનો લાપતા થતા આખરે ફાયર વિભાગ બહાર કાઢતા આ યુવાનો મોત થયું હતું. સુરતના અમરોલી પોલીસની હદમાં આવેલા મોટા વરાછાના ઉતરાણ ખાતે આવેલા હળપતિ
 
દુર્ઘટના@સુરતઃ તાપી નદીમાં બોટ પલટી જતા 2 યુવકોનાં કરૂણ મોત, 3નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં આવેલી તાપી નાદીમાં આજે માછીમારી કરવા ગયેલા યુવાનોની બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. જોકે બોટમાં સવાર પાંચમાંથી 3 યુવાન કિનારા પર નીકળી આવ્યા હતા. પરંતુ બે યુવાનો લાપતા થતા આખરે ફાયર વિભાગ બહાર કાઢતા આ યુવાનો મોત થયું હતું.

સુરતના અમરોલી પોલીસની હદમાં આવેલા મોટા વરાછાના ઉતરાણ ખાતે આવેલા હળપતિ વાસમાં રહેતા પાંચ જેટલા યુવાનો પોતાના નિત્યક્રમ મુજબ તાપી નદીમાં માછીમારી અને એમાં પણ ખાસ ઝીગા પકડવા માટે ગયા હતા. જોકે આ યુવાનો જે બોટમાં સવાર હતા તે બોટ અચાનક તાપી નદીમાં પલટી જતા બોટમાં સવાર તમામ પાંચ યુવાની તાપી નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે પાંચ માંથી હિતેશ રાઠોડ અલ્તાફ શેખ અને સોનુ સ્વેત નદીમાંથી નીકળી કિનારે આવી ગયા હતા. આ બોટમાં સવાર રાહુલ મરાઠી અને અજય રાથડ પાણીમાં ડૂબી ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફાયરના જવાનોએ આ બંને લાપતા યુવાનો શોધવાની કાર્યવાહી શરૂ કરી હતી. અને બંને યુવાન મળી આવતા તેમને નદીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે આ બંને યુવાને સારવાર મળે તે પહેલા તેનું મોત થઇ ગયું હતું. ફાયર વિભાગ સાથે પોહચેલી પોલીસે આ બે યુવાન મૃતદેહનો કબજો લઇને આ 2 યુવાને પીએમ માટે ખસેડી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે યુવાન ના મોતના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.