શરૂઆત@સુરત: AAPની મોટી જાહેરાત-હેલ્પલાઈન દ્વારા લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરી શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતમાં નોંધપાત્ર જીતની સાથે આમ આદમી પાર્ટીએ એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો ગોપાલ ઈટાલિયાની સાથે સુરતમાં મનોજ સોરઠિયાને પણ જીતનું કારણ માનવામાં આવે છે. પરિણામની મોડી સાંજ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. જે બાદ જાહેર સભામાં મનોજ સોરઠિયા દ્વારા એક
 
શરૂઆત@સુરત: AAPની મોટી જાહેરાત-હેલ્પલાઈન દ્વારા લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરી શકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં નોંધપાત્ર જીતની સાથે આમ આદમી પાર્ટીએ એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો ગોપાલ ઈટાલિયાની સાથે સુરતમાં મનોજ સોરઠિયાને પણ જીતનું કારણ માનવામાં આવે છે. પરિણામની મોડી સાંજ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. જે બાદ જાહેર સભામાં મનોજ સોરઠિયા દ્વારા એક જાહેરાત પણ કરી દેવાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મનોજ સોરઠિયાએ જાહેરાત કરી કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી સમાધાન લાવી શકશે. SMCને લગતી ફરિયાદ કરવા માટે લોકોએ હેલ્પલાઈનનું માધ્યમ ઉપયોગ કરવું પડશે. મનોજે કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષમાં ભ્રષ્ટાચારને આંખ આડા કાન કરતી હતી. જ્યારે સત્તાધારી ભાજપ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો. તો સાથે દાવો પણ કર્યો કે, આમ આદમી ન તો ભ્રષ્ટાચાર કરશે ન કરવા દેશે.

શરૂઆત@સુરત: AAPની મોટી જાહેરાત-હેલ્પલાઈન દ્વારા લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરી શકશે
જાહેરાત