રાજકારણ@સુરત: ટિકિટ ન મળતાં કૉંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓએ કરી તોડફોડ

અટલ સમાચાર, ડેસ્ક પાલિકાની ચૂંટણીમાં શુક્રવારે 135 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીની 61 જ્યારે સૌથી ઓછી કોંગ્રેસમાંથી માત્ર બે જ ઉમેદવારી નોંધાઇ હતી.તા.21મીએ કોર્પોરેશનની ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે થોડા જ કલાકો બાકી છે. ત્યારે ધીરે ધીરે રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવારો બપોરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં પોતાની
 
રાજકારણ@સુરત: ટિકિટ ન મળતાં કૉંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓએ કરી તોડફોડ

અટલ સમાચાર, ડેસ્ક

પાલિકાની ચૂંટણીમાં શુક્રવારે 135 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીની 61 જ્યારે સૌથી ઓછી કોંગ્રેસમાંથી માત્ર બે જ ઉમેદવારી નોંધાઇ હતી.તા.21મીએ કોર્પોરેશનની ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે થોડા જ કલાકો બાકી છે. ત્યારે ધીરે ધીરે રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવારો બપોરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા વચ્ચે શુક્રવારે 30 વોર્ડ માટેની 120 બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં ભાજપના 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે, કૉંગ્રેસના કાર્યકરોએ પોતાના નામની છેલ્લે સુધી રાહ જોઇ પરંતુ અંતે પક્ષે આયાતી ઉમેદવારો એટલે કે ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા કાર્યાલયમાં તોડફોડ કરીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાનું કહેવાઇ રહ્યું છે. જેના કારણે કૉંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે. કૉંગ્રેસની અંદરનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાર્યકર્તાઓમાં ટિકિટ વહેંચણી અંગે ભારે નારાજગી વ્યાપી રહી છે. સુરત શહેરના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કૉંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં પર બેઠા છે. કૉંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેઓ ધરણાં પર બેઠા છે.

તો બીજી તરફ શુક્રવારે, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિયમોમાં અનુભવી કોર્પોરેટરોના પત્તા કપાઈ ગયા હતા. જાહેર કરાયેલા ઉમેદવારો અંગે વિવિધ 7 જેટલા વોર્ડોમાં દાવેદારો અને તેમના સમર્થકોમાં અસંતોષ પ્રવર્તતા શુક્રવારે કાર્યકર્તાઓનો ઘસારો દિવસભર પાટિલની અંબાનગર કાર્યાલયે તથા ઉધના કાર્યાલય ખાતે રહ્યો હતો. જાહેર કરાયેલા ઉમેદવારો સામે નારાજગી અને પોતાને ટિકિટ નહી મળી હોવા અંગેની રજૂઆતો કરવામાં આવતી હતી.