વરસાદ@વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં પાણીના અતિરેકને પગલે કાંઠા વિસ્તારના લોકોનું તાત્કાલિક સ્થળાંતર
અટલ સમાચાર, ડેસ્ક
વિશ્વામિત્રી નદીમાં પૂરનાં પગલે કાંઠા વિસ્તાર પાસેનાં પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, જલારામનગર, નવીનગરી સહિતના વિસ્તારોમાંથી 500થી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની ઉપર આવી ગઇ છે. હાલ તેની સપાટી 27 ફૂટ નજીક આવી ગઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી 212 ફૂટ થઇ ગઇ છે.
વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતા વડોદરા શહેરનાં રેલવે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ગરનાળાને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરનાં કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે, નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવું. તકેદારીનાં જરૂરી પગલાં લેવા અને ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી છે.
વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. વિશ્વામિત્રીમાં સર્જાયેલી પૂરની સ્થિતીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોએ સાવચેતીના ભાગરૂપે ઘરનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ, વીજ કંપનીને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપભેર વધી રહેલી સપાટી અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરાયા હતા.
વિશ્વામિત્રી અતિરેકને તાત્કાલિક