સૈનિક@વડોદરાઃ આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સંજય સાધુ શહીદ

અટલ સમાચાર, ડેસ્ક થોડા સમય અગાઉ જમ્મુ કશ્મીરમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં વડોદરાના નવાયાર્ડ વિસ્તારના આરીફ પઠાણે શહીદી વહોરી લીધી હતી. આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા અને આસામ બોર્ડર પર ફરજ બનાવતા સંજય સાધુ શહીદ થયા છે. તેઓ બીએસએફમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા
 
સૈનિક@વડોદરાઃ આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સંજય સાધુ શહીદ

અટલ સમાચાર, ડેસ્ક

થોડા સમય અગાઉ જમ્મુ કશ્મીરમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં વડોદરાના નવાયાર્ડ વિસ્તારના આરીફ પઠાણે શહીદી વહોરી લીધી હતી. આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા અને આસામ બોર્ડર પર ફરજ બનાવતા સંજય સાધુ શહીદ થયા છે. તેઓ બીએસએફમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને જ્યારે તેઓ શહીદ થયા ત્યારે તેઓ બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

તેમના ભાઈ જગ્દીશભાઈએ જાણકારી આપી હતી કે, ગત રાત્રીએ દસેક વાગ્યાના અરસામાં બે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા ત્યારે તેમણે અમને સંજયની શહીદીના સમાચાર આપ્યા હતા. તેમના ગયાનું દુઃખ ઘણું છે સાથે દેશની રક્ષા કરતાં ભાઈ શહીદ થયો છે તેનો ગર્વ પણ છે. બે દિવસમાં તેમનો પાર્થિવ દેહ અંતિમવિધી માટે ઘરે લવાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર સંજય સાધુને લગ્ન જીવન દરમિયાન બે દીકરી અને એક દીકરો છે. પરિવારને અચાનક મળેલા દુઃખદ સમાચારથી શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.