સેનાને કોઈ ધર્મ હોતો નથીઃ શહીદ લાંસ નાયક નઝીર વાણીને અશોકચક્રથી સન્માનીત કરાશે

અટલ સમાચાર, ડેસ્ક
કાશ્મીરમાં આતંકીઓનો સાથ છોડીને સેનામાં સામેલ થયેલા લાંસ નાયક નઝીર અહમદ વાણીને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસે તેમના પરિવારજનોને આપવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં શોપિયામાં અથડામણ દરમિયાન નઝીર શહીદ થઈ ગયા હતા. આ ઓપરેશનમાં છ આતંકીઓને ભારતીય જવાને બંદૂકે ઠાક કર્યા હતા.
આપને જણાવી દઈએ કે નઝીર વાણી એક સમયે આંતકીઓના સાથી હતા. તેમણે આતંકવાદનો સાથ છોડીને 2004માં ટેરિટોરિયલ આર્મીની 162મી બટાલિયનમાં સામેલ થયા હતા. શહીદ થયા તે સમયે તેઓ 34 રાષ્ટ્રીય રાઈફલ્સમાં હતા.
શહીદ વાણીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમણે આતંકીઓ સામે ઘણાં ઓપરેશનમાં ભાગ લીધો છે. તેમાં વીરતા દાખવવા બદલ તેમને 2007 અને 2018માં સેના મેડલથી પણ નવાઝવામાં આવ્યા હતા. શહીદ વાણીને સેના પ્રવક્તાએ એક સાચા સૈનિક ગણાવ્યા છે.