આપઘાત@અમરેલી: દીકરીના લગ્ન પહેલાં જ માતા-પુત્રીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સાવરકુંડલા તાલુકાના ગામે ખેડૂત પરિવારની માતા અને પુત્રીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. દીકરીનો લગ્ન પ્રસંગ નજીક હોય આર્થિક સ્થિતિ નબળી હોવાથી પગલુંભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને માતા-પુત્રીએ પોતાના ઘરે જ વહેલી સવારે સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અટલ
Sep 1, 2021, 15:31 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાવરકુંડલા તાલુકાના ગામે ખેડૂત પરિવારની માતા અને પુત્રીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. દીકરીનો લગ્ન પ્રસંગ નજીક હોય આર્થિક સ્થિતિ નબળી હોવાથી પગલુંભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને માતા-પુત્રીએ પોતાના ઘરે જ વહેલી સવારે સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધાર ગામે માતા-પુત્રીના આપઘાતની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે પોતાના જ ઘરમાં માતા-પુત્રએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માતા-પુત્રીના મૃતદેહને પી.એમ.માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા છે.