ગુજરાત: માલિકે મકાન ખાલી કરવાની ધમકી આપી, ભાડુઆતનો આપઘાત

અટલ સમાચાર,ડેસ્ક મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગરના સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા ભાડુઆત પર મકાન માલિક સહિત ચાર લોકોએ મકાન ખાલી કરી આપવા બાબતે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. જે બાદ ભાડુઆતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યુવકને ધાક-ધમકી મળતા તેને ડરીને આપઘાત કરી લીધો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ગુજરાત: માલિકે મકાન ખાલી કરવાની ધમકી આપી, ભાડુઆતનો આપઘાત

અટલ સમાચાર,ડેસ્ક

મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગરના સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા ભાડુઆત પર મકાન માલિક સહિત ચાર લોકોએ મકાન ખાલી કરી આપવા બાબતે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. જે બાદ ભાડુઆતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યુવકને ધાક-ધમકી મળતા તેને ડરીને આપઘાત કરી લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબીના સેન્ટમેરી ફાટક પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં સતનામ અપાર્ટમેન્ટમાં રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા 37 વર્ષીય અશોકપરી ચકપરી ગોસ્વામીએ ગત મોડી રાત્રે એપાર્ટમેન્ટમાં ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. જેમાં તેઓ વીજળીના તાર પર પડતા શૉક લાગ્યો હતો. જેનાથી તેઓનું મોત નીપજ્યું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં વિશ્વાસ કાનજી પાટડીયાને ભાડે આપેલું મકાન ખાલી કરાવવા બાબતે ભાડુઆત સાથે ઝઘડો થયો હતો. જેથી, વિશ્વાસના મળતીયા એવા અબુ મુસા અને રાજુ પરમાર ગત મોડીરાત્રીના સતનામ એપાર્ટમેન્ટ ગયા હતા અને ધાક ધમકી દેતા હતા. આથી, ડરના માર્યા અશોકપરી ગૌસ્વામીએ આપઘાત કરી લીધો હતો. આ રીતે મકાન માલિક અને બે લુખ્ખાઓના ડરથી એક પરિવારનો દીપક ઓલવાઈ ગયો છે.