સુરત: લોકડાઉનમાં પાનમાવાના વેપારીએ કરી આત્મહત્યા, કારણ ચોંકાવનારૂ

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં લૉકડાઉન વચ્ચે પાનમાવાના એક વેપારીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી દીધુ છે. જોકે પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરવાન પાછળનું કારણ ચોંકાવનારૂ હોવાનું સામે આવ્યુ છે. લૉકડાઉનમાં ઘરની બહાર ન નીકળવા દેતા આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. અટલ
 
સુરત: લોકડાઉનમાં પાનમાવાના વેપારીએ કરી આત્મહત્યા, કારણ ચોંકાવનારૂ

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં લૉકડાઉન વચ્ચે પાનમાવાના એક વેપારીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી દીધુ છે. જોકે પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરવાન પાછળનું કારણ ચોંકાવનારૂ હોવાનું સામે આવ્યુ છે. લૉકડાઉનમાં ઘરની બહાર ન નીકળવા દેતા આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ પાનમાવાનો ધંધો કરતા હતા. આ દરમિયાન છેલ્લા 42 દિવસથી ઘરમાં લૉકડાઉન થયેલા પટેલને લાગી આવતા આજે તેમણે અંતિમ પગલું ભર્યુ હતું. ઉમેશ પટેલ 42 દિવસથી કથિત રીતે ઘરની બહાર નીકળ્યા નહોતા અને પરિવારે તેમને નીકળવા દીધા નહોતા. આ ઘટનાથી હતાહત થયેલા પટેલે ઝેરી દવાની પીને અંતિમ પગલું ભર્યુ હતું. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.